Wednesday, April 14, 2010

ગાઢ નિદ્રામાં આપણું અચેતન મન પણ વિલીન થઇ જાય છે. મનની આ શાંતિ - ફક્ત ૨૦ થી ૨૫ મીનીટની આપણને બીજા દિવસના કાર્ય માટે તૈયાર અને તત્પર બનાવી દે છે.

મનુષ્યની સાચી નિદ્રાની જરૂરિયાત ફક્ત અડધાથી પોણા કલાકની જ હોય છે. બાકીનો સમય તો મનની અતૃપ્ત ઈચ્છા અને વાસનાઓને મૂર્ત કરવાના સ્વપ્ન ઘડવામાં જ જાય છે.

સૂર્યોદય પહેલા સ્નાન કરી લેનારને કદી બી. પી. ના રોગ થતા નથી.

જીવનની કોઇપણ ક્રિયા સજાગ બનીને કરજો. એની મેળે વિચાર અદ્રશ્ય થઇ જશે, ધ્યાન થઇ જશે.

મન સ્વભાવત : નિર્વિકારી છે, શુદ્ધ છે, બુદ્ધ છે, સત , ચિત અને આનંદનું બીજું નામ છે. પણ આપણી ઇન્દ્રિયો અને સ્મૃતીસભર બુદ્ધિ તેને વારંવાર હડસેલો મારી નવા નવા વિચારો આપ્યા જ કરે છે. અને મન સતત તેને ફેંકી દીધા કરે છે.

મન તો સ્ફટિકમણી છે.

કઈ પણ બુરું કામ ના કરવું - શીલ
સારું હોય તેનું આચરણ કરવું- પ્રજ્ઞા
પોતાના મનને શુદ્ધ કરવું.- ધ્યાન

મનને જયારે ઓળખી લઇ તેવું અનુભવીએ ત્યારે આ ત્રણે આજ્ઞાનો અર્થ રહેતો નથી.
'સ્વ'ને મન તરીકે સમજવામાં આવે છે ત્યારે પણ તે કદીય બુરાઈ, કલેશ કે કર્મથી લેપાતું નથી અને ખરેખર દરેક વિચાર પણ પ્રજ્ઞાનો જ અંશ છે.

Tuesday, April 13, 2010

મનના ચાર પ્રકાર

આવતી પરિસ્થિતિ સામે તમારો ગમો - અણગમો જાહેર કરી મનને સંઘર્ષમાં - તણાવમાં ઉતારશો નહી. તરત જ એક જબરી ક્રાંતિ થશે. મનની પર રહેલ સત્ય અનુભવી શકશો.

સત્યનો કોઈ માર્ગ નથી, સત્ય તો છે જીંદગી.

તમે તમારા ક્રોધથી ભય પામો નહી, વાસનાથી ગભરાશો નહિ, તમારા જીવનની વાસ્તવિકતાથી વિમુખ થશો નહી , પણ આ કામ, ક્રોધ, ઈચ્છા, દુખ, સુખ સૌની સાથે જ જીવો. તેને બરોબર બારીકાઈથી સમજો. તેને સુધારવા માટે પ્રયત્ન કરશો જ નહિ.

આપણા નિત્ય જીવનની સાથે સંઘર્ષ કર્યા વિના જીવવું - સ્વીકાર કરીને જીવવું - તેને સમજવું એ જ સત્ય છે, આત્માની ઓળખ છે.

તમારા ભૂતકાળના અનુભવો, ડહાપણ કે ધર્મની આજ્ઞાઓનો આધાર લઇ તમારા જીવનમાં બનતી ઘટનાઓ ને મૂલવશો નહી, જે છે તેને સ્વીકારી લો, જેવા છો તેવા જ રહો. પણ જાગ્રત રહો. આ સર્વ પ્રત્યે તેને સમજો - સુધારો નહિ. આમ કરવાથી સરળતા આવશે મન ધીમે ધીમે પોતાનો અહંકાર ગુમાવશે.

મનના ચાર પ્રકાર

૧.બાહ્ય મન
૨.આંતરિક મન
૩.અર્ધજાગ્રત મન
૪.અવચેતન મન -સ્વપ્ન

Monday, April 12, 2010

માનવીનું મન

માનવીનું મન

તમામ પ્રાણીઓ ઊંઘ , ભૂખ, ભય અને મૈથુન દ્વારા પોતાનું જીવન વ્યતીત કરે છે. માણસમાં વધારાનું મન ખુબ જ વિકસિત દશામાં રહેલું છે તેથી તે 'માનવ' કહેવાય છે.

વસ્તીવધારો તાણ, દબાવ, મુશ્કેલી તો ઉભી કરે જ છે, પણ તેને કારણે પ્રજામાં વાસનાનું પ્રમાણ વધી જાય છે.

નવ ટકાથી નીચે માનસ શક્તિનો ઉપયોગ કરનાર મુર્ખ રહે છે ને દસ ટકા ઉપર માનસ શક્તિનો ઉપયોગ કરનાર અતિશય વિદ્વાન , મહાન વિચારક અને પ્રતિભાશાળી વ્યક્તિ બને છે.

સંમોહન બીજું કઈ નથી, ફક્ત દઢ મનનું પરિણામ છે.

વાસ્તવમાં દરેક માણસનું મન મજબુત જ હોય છે. પણ વહેમ, રૂઢી, ભાગ્ય , દૈવ વગેરે કારણે આપને તેને નબળું દીધું છે.

Sunday, April 11, 2010

No regret for the past

No anxiety for the future

No worry for the present.

Saturday, April 10, 2010

great quats

વૃક્ષો અને ફૂલો અને વાદળો
અને તારાઓ ઉપર .
અજ્ઞાત

ખરો આનંદ તો મનની રચનાત્મકતામાં છે.

દલાઈ લામા

સુરજ ના નીકળે ત્યાં સુધી
અંધકારને ભેદતા ચાલો.

શ્રી અરવિંદ

ઉત્સવ જેનું નામ એ તો આત્મામાં ઉગે છે.

શ્રી શ્રી રવિશંકર

જે કંઈ થાય , નવું થાય.

જે. કૃષ્ણમૂર્તિ

ઉત્સાહથી મોટું બીજું કોઈ બળ નથી, ઉત્સાહી વ્યક્તિ માટે
જગતમાં કશું દુર્લભ નથી.

વાલ્મીકી રામાયણ

rugved sutra

પરમાત્માએ સરિતાને પ્રવાહિત કરી છે,
એમનો પ્રવાહ કદી થંભતો નથી.
વહેવાનો થાક તે શું એ કદી જાણતી નથી.
એ તો એમ જ સપાટાબંધ વહે છે
જેમ પક્ષીઓ આકાશમાં ઉડે છે.
પ્રભુ , મારા જીવનની ધારા
સદધર્મની સરિતામાં જઈને મળો.
મને બદ્ધ કરનારા ભયનું હરેક બંધન ઢીલું પડો.
મારા પ્રેમ અને આનંદની દોર
ત્યારે ના તૂટો જયારે હું ગાતો હોઉં
અને મારું કાર્ય પરિપૂર્ણ થતાં સુધી અંત ન પામો.

ઋગ્વેદ, ૧૧/૨૮